માર્કેટ સમરી
નિફ્ટી પોઝીટીવ બંધ રહેવામાં સફળ
ભારતીય બજાર ગુરુવારે પોઝીટીવ બંધ રહેવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી 110 પોઈન્ટ્સ સુધરી 14406 પર બંધ આવ્યો હતો. બેન્ચમાર્ક 14151નું તળિયું બનાવી પરત ફર્યો હતો અને ત્યાંથી લગભગ 275 પોઈન્ટ્સ જેટલો સુધર્યો હતો. આમ બુલ્સનો હાથ ઉપર જળવાયો હતો.
બેંકિંગનો મહત્વનો સપોર્ટ
બેંક નિફ્ટી 2.15 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો અને 31783ના સ્તરે બંધ આવ્યો હતો. ખાનગી ક્ષેત્રની બેંક્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, એસબીઆઈમાં 2-5 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
કોવિડની બીજી લહેર પાછળ છ મહિના બાદ વિદેશી સંસ્થાકિય રોકાણકારો વેચવાલ બન્યાં
એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી તેમણે રૂ. 7041 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું
દેશમાં કોરોનાના બીજા રાઉન્ડમાં જે રીતે દૈનિક ધોરણે કેસિસમાં વૃદ્ધિ થઈ રહી છે તેને કારણે સ્થાનિક શેરબજારમાંથી વિદેશી સંસ્થાકિય રોકાણકારો ચોખ્ખી વેચવાલી નોંધાવી રહ્યાં છે. ઓક્ટોબર 2020થી માર્ચ 2021 સુધીના છ મહિના દરમિયાન સતત બજારમાં જંગી રોકાણ ઠાલવતાં રહેલા વિદેશી રોકાણકારોએ એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 7041 કરોડનું વેચાણ નોંધાવ્યું છે એમ ડેટા સૂચવે છે. જેમાં ઈક્વિટીમાંથી તેમણે રૂ. 4800 કરોડથી વધુ આઉટફ્લો નોંધાવ્યો છે.
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ છેલ્લા કેટલાંક મહિનાઓ દરમિયાન ભારતીય બજારમાં ઐતિહાસિક ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાં બે મહિનાઓમાં તો તેમણે રૂ. 60 હજાર કરોડથી વધુનું વિક્રમી રોકાણ કર્યું હતું. જેમાં નવેમ્બર 2020માં તેમણે રૂ. 60358 કરોડ અને ડિસેમ્બર દરમિયાન તેમણે રૂ. 62016 કરોડનું રોકાણ દર્શાવ્યું હતું. જ્યારે અન્ય ચાર મહિનાઓમાં પણ તેમનો ઈનફ્લો નોંધપાત્ર ઊંચો હતો. જેમકે ઓક્ટોબર 2020માં તેમણે રૂ. 19541 કરોડ, જાન્યુઆરી 2021માં રૂ. 19473 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 25787 કરોડ અને માર્ચમાં રૂ. 10481 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે એપ્રિલમાં તેઓ ચોખ્ખા વેચવાલ બની રહ્યાં છે.
એનાલિસ્ટ્સના મતે ઓક્ટોબર બાદ દેશના આર્થિક ઈન્ડિકેટર્સમાં નોઁધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નાણા વર્ષ 2020-21 માટેના જીડીપીના અંદાજોમાં મોટાભાગની એજન્સીઝે સુધારો કર્યો હતો. તેમજ 2021-22 માટે ઊંચા જીડીપી ગ્રોથ રેટના અંદાજો રજૂ કર્યાં હતાં. અંતિમ છ મહિનામાં મોટાભાગના હાઈ ફ્રિકવન્સી ડેટા સુધારાતરફી જોવા મળ્યાં હતાં. જોકે છેલ્લા એક મહિનાથી દેશમાં વધી રહેલાં કોવિડના આંકડા જોતાં ફરી સ્થિતિ ચિંતાજનક બની છે અને એફપીઆઈ સાવચેત બની હોવાનું માર્કેટ વર્તુળો જણાવે છે. એપ્રિલ મહિના દરમિયાન ભારતીય બજારોના બેન્ચમાર્ક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 4 ટકા જ્યારે નિફ્ટી 3 ટકાનો ઘટાડો દર્શાવે છે.
અગ્રણી બ્રોકરેજ હાઉસ કોટક સિક્યૂરિટીઝના રિસર્ચ હેડ રશ્મિક ઓઝાના મતે દેશમાં નવેસરથી લોકડાઉન અને નિયંત્રણોના પગલે આર્થિક ગતિવિધિઓ પર અસર થશે. જો સ્થિતિ વણલશે તો 2021-22 માટે ફરી ડાઉનગ્રેડની શક્યતા ઊભી થશે. જોકે હાલમાં કશું પણ કહેવું વહેલાસરનું રહેશે. તેમના મતે નજીકના સમયમાં કેટલાક પડકારો રહેલાં છે. જેને કારણે ટૂંકાગાળામાં એફપીઆઈ ફ્લો મંદ જળવાશે. એકવાર સ્થિતિ સામાન્ય બનશે એટલે વિદેશી રોકાણકારોના પ્રવાહ ફરી શરૂ થશે. જીઓજીત ફાઈનાન્સિલય સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારના મતે લોકલાઈઝ લોકડાઉન્સને કારણે 2021-22 માટેના અંદાજિત જીડીપી ગ્રોથમાં એકાદ ટકા ઘટાડાનું જોખમ રહેલું છે. જે કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારો ચોખ્ખા વેચવાલ બન્યાં હોય તેવું જણાય છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.